સંશોધિત હનુમાન ચાલીસા – અર્થ સહિત

અહીં અમે હનુમાન ચાલીસાના સુધારેલા સંસ્કરણ વિશે જણાવી રહ્યા છીએ. આજ સુધી તમે જે ભૂલો કરી રહ્યા હતા તેને સુધારો અને સંશોધિત હનુમાન ચાલીસાથી આપ શ્રી હનુમાનજીની કૃપા મેળવો. જય શ્રી રામ…

શ્રી ગુરુદેવના ચરણ રજથી મારૂ મન પવિત્ર કરી હવે હું  શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરૂં છું. જે ધર્મ, અર્થે કામ અને મોક્ષ એમ ચારે પ્રકારનાં ફળ આપનાર છે.

હું મારી જાતને બુદ્ધિહિન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ આપ મને બળ, બુદ્ધિ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો.

જ્ઞાન અને ગુણોનાં સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો ! ત્રણેય લોકમાં કીર્તિમાન મારૂતિ, આપનો જય હો !

શ્રી રામજીના દૂત આપમાં અનંત શક્તિ છે આપનું અંજનિપુત્ર અને પવનપુત્ર નામ જગ પ્રસિદ્ધ છે.

આપ મહાવીર તથા મહાપરાક્રમી છો. આપનું શરીર વજ્ર સમાન છે. આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો, અને સુબુદ્ધિના સહાયક છો.

હે કપિ શ્રેષ્ઠ, આપના દેહનો વર્ણ કંચન જેવો છે. કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડીયા વાળ છે. આપનું આ સ્વરૂપ અતિ સોહમણું છે.

આપના હાથમાં ગદા અને ધ્વજા છે, ખભા પર જનોઇ શોભાયમાન છે.

કેસરીનંદન આપ સ્વયં શંકરના અવતાર છો, આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે.

હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન, ગુણવાન અને ચતુર છો, સદા ભગવાન શ્રીરામનું કાર્ય કરવા આતુર રહો છો.

ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર સાંભળવામાં આપ ખુબ જ તલ્લીન હોવ છો. શ્રી રામજી શ્રી લક્ષ્મણજી તથા શ્રી સીતામાતા આપના હૃદય કમળમાં વિરાજમાન છે.

શ્રી હનુમાનજી સુક્ષ્મરૂપ ધારણ કરીને શ્રી સીતાજીની સન્મુખ ગયા અને ત્યારબાદ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લંકાનું દહન કર્યું.

મહાભંયકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો.

સંજીવની બુટી લાવીને જ્યારે શ્રી લક્ષ્મણજીને જીવિત કર્યા તો ભગવાન શ્રી રામે આનંદ વિભોર થઈ આપને હૃદયે લગાવ્યા.

ભગવાન શ્રીરામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે, ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઇ છે.

હે કપિનંદન ! સહસ્ત્ર મુખવાળા શેષનાગ પણ તમારા ગુણગાન ગાય છે, તેમ જણાવી પ્રેમથી પ્રભુ શ્રી રામે ગળે લગાવ્યા.

સમસ્ત સનકાદીક મહર્ષિગણ, ઋષિ મુનિ, શ્રી નારદજી, શ્રી સરસ્વતીજી તથા શ્રી શેષનાગજી પણ આપની યશોકીર્તી યોગ્ય રીતે કરી શકતા નથી.

યમરાજ, કુબેર, દિગપાલ જેવાં દેવતા પણ આપનો મહિમા પૂર્ણરૂપે વર્ણન કરી શકતા નથી તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઇ રીતે કહી શકે ?

આપે સુગ્રીવને મોટી સહાયતા કરી હતી. આપે શ્રી સુગ્રીવજીને ભગવાન શ્રી રામજી સાથે મિલાપ કરાવી આપી, તેઓને રાજા બનાવ્યા.

શ્રી વિભિષણે આપની સલાહ સ્વીકારી હતી અને તેથી તે પણ લંકાના રાજા બન્યા એ આખો સંસાર જાણે છે.

હજારો જોજન દૂર એવા સૂર્ય ને મધુર ફળ સમજીને આપ તેને ગળી ગયા હતા.

આપે શ્રી રામજીની વીટીં મુખમાં મુકી સમુદ્ર પાર કર્યો એ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી.

સંસારમાં જેટલા પણ કઠીનમાં કઠીન કાર્ય છે, તે સર્વે હે શ્રી હનુમાનજી આપની કૃપાથી સરળતાથી થઈ જાય છે.

શ્રી રામજીના દરબારમાં શ્રી હનુમાનજી આપ જ દ્વારપાલ છો અને તમારી આજ્ઞા વિના કોઈપણ ને પ્રવેશ ત્યાં થઈ શકતો નથી.

હે ! શ્રી હનુમાનજી, આપના શરણમાં જે આવે છે તે સૌ સંસારના સર્વ સુખ પ્રાપ્ત કરે છે, તેમજ જેના આપ રક્ષક છો એને કોઈપણ ભય-વ્યાધિ રહેતો નથી.

હે અંજની પુત્ર ! આપ જ આપનું તેજ સહન કરી શકો છો. તમારી હાક સાંભળી ત્રણે લોક થરથર કાંપે છે.

વ્યક્તિ સાચા હૃદયથી આપનું નામ લે છે. તેની સમીપ ભૂત-પ્રેત, પિશાચ વગેરે આવતા નથી.

હે કેશરી નંદન ! આપનું નામ સતત જપનારના બધા રોગો દૂર થઇ જાય છે અને તેની બધી પીડા દૂર થઇ જાય છે.

હે અંજની પુત્ર ! જે ભક્ત મન, વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે છે, એને આપ બધી વિપત્તિથી બચાવો છો.

તપસ્વી રાજા શ્રી રામ સર્વથી શ્રેષ્ઠ છે. આપે તેમના તમામ કાર્યો સહજ રીતે સફળ કર્યા છે. પરિપૂર્ણ કર્યા છે.

હે કેશરી નંદન ! આપની સમક્ષ મનોરથ લઇને જે કોઇ વ્યક્તિ આવે છે, તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે.

હે અંજની પુત્ર ! આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં આપની કીર્તિ, યશ પ્રકાશમાન છે.

સાધુ, સંતના આપ રક્ષક છો, આપ રાક્ષસોના સંહાર કરનાર છો અને આપ શ્રીરામને અતિ પ્રિય છો.

માતા શ્રી જાનકીજી એ આપને એવું વરદાન આપેલ છે કે આપ અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ આપ જેને ઇચ્છો તેને પ્રદાન કરી શકો છો.

હે બજરંગબલી ! “શ્રીરામ” નામરૂપી રસાયણ આપની પાસે છે. આપ સદાય શ્રીરામની સેવામાં તત્પર રહો છો.

આપનું ભજન કરનારને શ્રીરામનું દર્શન થાય છે. અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઇ જાય છે.

મૃત્યુ પછી પણ એ ભક્ત શ્રી રામજીના ધામમાં જાય છે. અને કદાચ ક્યાંય જન્મ થાય તો પણ તે ભક્તિ પ્રાપ્ત કરશે અને રામભક્તના નામે પ્રસિદ્ધ થશે.

જે ભક્ત અન્ય દેવતાઓનું હૃદયમાં સ્થાન ન રાખી, શ્રી હનુમાનજી સેવા કરે તો તે સર્વ સુખ સંપન્ન થાય છે.

અતિ બળવાન વીર બજરંગબલીનું જે સ્મરણ કરે છે તેના બધા સંકટો દૂર થાય છે.

હે શ્રી હનુમાનજી ! આપનો જય જયકાર હો, આપ મારા પર પરમ કૃપાળુ ગુરૂદેવની જેમ કૃપા કરો.

જે કોઈ હનુમાન ચાલીસાના રોજ (ખરા ઉચ્ચારણ સાથે) પાઠ કરે તે બધા જ બંધનોમાંથી છૂટી જાય છે
અને પરમાનંદ પ્રાપ્ત કરે છે.

જે ભક્ત “હનુમાન ચાલીસા” નો નિત્ય પાઠ કરશે તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત્‌ ભગવાન શંકર સાક્ષી છે.

સંત શ્રી તુલસીદાસજી કહે છે કે, “સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું. હે નાથ આપ મારા હૃદયમાં નિત્ય બિરાજો.”

હે પવન પુત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનારા, આપ મંગલમૂર્તિ રૂપ છો. આપ શ્રીરામ, શ્રી લક્ષ્મણ અને સીતા મૈયા સહિત અમારા હૃદયમાં નિત્ય બિરાજો.

જય શ્રી રામ…

Leave a Comment

Start typing and press Enter to search

© બર્ડાઇ જયોત